જામનગર લોકસભા બેઠકમાં 11 ફોર્મ ભરાયા

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 17 April, 2024 | 03:29 PM
સાંજ સમાચાર

જામનગર તા.17
જામનગર લોકસભા બેઠક માટે વધુ 8 ફોર્મ ભરાયા હતાં. પાંચ દિવસમાં કુલ 95 ઉમેદવારી પત્રનો ઉપાડ થયો છે. અત્યાર સુધીમાં કુલ 11 નામાંકન પત્ર ભરીને રજૂ થયા છે.જેમાં કોંગ્રેસ પક્ષના બે ઉમેદવારો  બહુજન સમાજ પાર્ટીના બે ઉમેદવાર અને પાંચ અપક્ષ ઉમેદવારો  ફોર્મ ભર્યા હતા.
જામનગર લોકસભાની બેઠક માટે ગત શુક્રવારે પ્રથમ દિવસે 57 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો.

ત્યારપછી શનિવાર અને રવિવાર રજા હતી. જ્યારે સોમવારે વધુ ફોર્મ ઉપડતા કુલ 87 ફોર્મ ઉપડયા હતા અને ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા હતાં. મંગળવારે વધુ 8 ફોર્મનો ઉપાડ થયો હતો. આથી પાંચ દિવસમાં કુલ 95 ઉમેદવારી પત્રનો ઉપાડ થયો હતો. મંગળવારે વધુ 8 ઉમેદવારી પત્ર ભરાયા હતાં. જેમાં પાંચ અપક્ષ, બે બસપા અને એક ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનો સમાવેશ થાય છે.

બે દિવસમાં કુલ 11 ઉમેદવારી પત્ર ભરાયા છે.જામનગર લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે કુલ આઠ ઉમેદવારો ઉમેદવારી પત્રકો ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યા હતા.જેમાં ક્રોગ્રેસ તરફથી વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (શહેર કોંગ્રેસ પ્રમુખ), બહુજન સમાજ પાર્ટી માંથી પીગલસૂર જયસુખ નથુભાઈ અને સોદરવા દામજીભાઈ નાજાભાઈએ ફોર્મ રજૂ કર્યા હતા. તો અપક્ષ ઉમેદવાર તરીકે કલ્પેશ વિનોદભાઈ,પોપટપુત્રા રફિક અબુબકર,બથવાર નાનજીભાઈ અમરશીભાઇ,ગોહિલ બાબુભાઇ જેઠાભાઈ એ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેથી કુલ આંક 11 ઉપર  પહોંચ્યો હતો.  હજુ ઉમેદવારી પત્ર ભરવાના ત્રણ દિવસ બાકી છે. 19 એપ્રિલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે બાકીના ત્રણ દિવસમાં કેટલા ઉમેદવારી પત્ર ભરાય છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj