જામનગર જૈન મિત્ર મંડળ દ્વારા સતત 11 માં વરસે ખુબ જ રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ મુખ્યદાતા ચેતનભાઇ મહેતા (એ.પ્રવિણ એન્ડ કંપની) સહિતના અનેક દાતાઓના સહકારથી સંપન્ન કરવામાં આવેલ હતો. આ સમયે સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમસ્ત જૈન સમાજના 1500 થી વધુ વિદ્યાર્થિઓને ચોપડા તથા સ્ટેશનરીનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન મિત્ર મંડળના સદસ્યો પ્રયત્નશીલ રહ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy