રાજકોટ,તા.16
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી રાજકોટ ખાતે ઓફિસર્સ ક્લબમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ચૌબેએ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરીને અને દીપ પ્રગટાવીને તેમના ગુણોને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી મનીષ મહેતા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ, ટ્રેડ યૂનિયન, એસસી/એસટી અને ઓબીસી એસોસિએશનના પદાધિકારી તેમજ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy