રાજકોટ, તા.19
રાજકોટમાં 16 વર્ષ અને 14 વર્ષના બાળકો ગુમ થઈ જતા અપહરણની ફરિયાદ નોંધાઇ છે. પ્રથમ બનાવની વિગત અનુસાર ફરિયાદી ભાવેશભાઈ રાજુભાઈ વઢીયાર (ઉ.વ.25 રહે-નંકલક હોટલથી આગળ વાવડી રોડ ઉપર ઝુપડામા)એ જણાવ્યું કે ગત તા.15/04/2024 ના રાત્રે આશરે દશેક વાગ્યાના આસપાસ મારી પત્ની કાજલ તથા બહેન હીરલબેન, ભાઈ અજય બધા ઘરે ઝુપડામા સુતા હતા.
આ દરમ્યાન તા-16/04/2024 ના સવારના આશરે ચારેક વાગ્યાના આસપાસ હુ પાણી પીવા માટે ઉઠ્યો ત્યારે મે જોયું તો મારો ભાઈ અજય (ઉ.વ.14) જોવામા આવેલ નહી. તપાસ કરતા ક્યાંય જોવા મળેલ નહિ. અજય ઘરેથી નીકળી ગયેલ ત્યારે શરીરે ગુલાબી કલરનો શર્ટ તથા બ્લુ કલરનો જીન્સનો પેન્ટ પહેરેલ હતું. રાજકોટ તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા બનાવમાં હસુમખભાઇ વાસુરભાઈ ચાવડા (ઉ.વ.50 રહે- ન્યુ સુર્યોદય સોસાયટી શેરીનં.2 ક્રીષ્ના મંડપ સર્વિસની બાજુમાં માધવ હોલની પાછળ 80 ફુટ રોડ રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારાથી નાનોભાઈ વિક્રમભાઈને સંતાનમાં એક દિકરો વિરાજ (ઉ.વ.16) છે. જે છેલ્લા સાતેક વર્ષથી અહી રાજકોટમાં મારી સાથે જ રહે છે. તે ભાવનગર રોડ ઉપર આવેલ આઈટીઆઈમાં કોમ્પ્યુટર આઈ.ટી.નો અભ્યાસ કરે છે. સાથોસાથ બસ સ્ટેન્ડ પાસે કોઈ જગ્યાએ કોમ્પ્યુટર રીપેરીંગની ઓફીસમાં એપ્રેન્ટીસ તરીકે પ્રેકટીસ કરવા માટે જાય છે.
ગત તા.17/4/2024 ના રોજ સવારના આઠેક વાગ્યે મારા ભત્રીજા વિરાજ મને કહેલ કે, હું બસ સ્ટેન્ડ પાસે એપ્રેન્ટીસની પ્રેકટીસ કરવા માટે જાવ છુ. તેમ કહી વિરાજ ઘરેથી નીકળેલ હતો. ત્યારબાદ સાંજે ઘરે ન આવ્યો. વિરાજનો ફોન સ્વીચ ઓફ આવેલ. સગા વ્હાલાને ત્યા પણ તપાસ કરેલ પરંતુ વિરાજનો કયાય પતો લાગેલ ન હતો. ભક્તિનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી વિરાજની શોધખોળ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy