રાજકોટ તા.16
અમદાવાદના આંગણે સૌ પ્રથમવાર શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિસવ મહા સોમયાગ મહોત્સવનું આગામી તા.19થી 24 સુધી પદ્મભૂષણ પૂ.ગો. ડો. શ્રી ગોકુલોત્સવજી મહારાજ (ઈંદોર), સોમયજ્ઞ સમ્રાટ પૂ.ગો. ડો. શ્રી વ્રજોત્સવજી મ. તથા પૂ.ગો.શ્રી ઉમંગરાયજી બાવાના સાંનિધ્યમાં કરવામાં આવેલ છે.
તા.18ના સાંજે 5 વાગે વિશાળ કળશ શોભાયાત્રા યોજાશે. વિરાટ સોમયજ્ઞના પાવન પ્રસંગો અંતર્ગત તા.19ના તુલસીવિવાહ, તા.20ના છાક મનોરથ, તા.21ના નંદ મહોત્સવ, તા.22ના યમુનાજી ચુંદડી મનોરથ, તા.23ના રથયાત્રા-ધવજારોહણ બ્રહ્મચક્ર, તા.24મીના બુધવારે વિરાટ સોમયજ્ઞનું સમાપન થશે. દરરોજ બપોરે 1 વાગે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ઉપરોકત મહોત્સવ દરમ્યાન જગન્નાથ મંદિરના મહામંડલેશ્ર્વર દિલીપદાસજી મહારાજ, લીંબડી નિમ્બાર્ક પીઠના મહંત મહા મંડલેશ્ર્વર લલિતકિશોરદાસજી મહારાજ, મહામંડલેશ્ર્વર શ્રી જાનકીદાસજી મહારાજ, મહંત શ્રી વિજયદાસજી મહારાજ આદિ પધારશે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, ધારાસભ્યો વગેરે અનુકુળતા અનુસાર વિરાટ સોમયજ્ઞ મહોત્સવમાં પધારશે તેમ વિરાટ સોમયજ્ઞ સમિતિ (અમદાવાદ)એ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy