ધોરાજીમાં લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા 24મો સમૂહલગ્નોત્સવ સંપન્ન

Local | Dhoraji | 08 May, 2024 | 12:37 PM
11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા: દાતાઓનું સન્માન
સાંજ સમાચાર

ધોરાજી,તા.8
ધોરાજીખાતે લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા 24મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડેલ હતાં.લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંકુલ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓને લેઉઆ પટેલ જાગૃતી મંડળના સભ્યો તથા લે.પ.કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ બાલધા તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા લગ્ન સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતાં.આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવેલ તેમાં અમુક ખાતાઓ ગેરહાજર હોવાથી શાબ્દીક સન્માન કરવામાં આવેલ અને છેલ્લા 16 વર્ષથી સતત શાકભાજી વિના મુલ્યે આપનાર દાતા સ્વ.પરસોત્તમભાઈ કરમશીભાઈ કથીરીયા તરફથી આપવામાં આવે છે.તેથી તેના પત્ની ગં.સ્વ.જયાબેન પરસોત્તમભાઈ કથીરીયાનું ફુલહાર તથા શાલ ઓઢાળી જયોત્સનાબેન પી.સુદાણીએ સન્માન કરેલ હતું.

આ પ્રસંગે પ્રમુખના જણાવ્યા પ્રમાણે લગ્નમાં ખોટા ખર્ચાઓ તથા કુરીવાજો તથા સામાજીક કાંતીના ભાગ રૂપે સગાઈની વિધિ દિકરાને ઘેર કરવી જોઈએ તથા ડી.જે.ફટાકડા મોટો ભોજન સમારંભ, બ્યુટી પાર્લર જેવા ખર્ચા ન કરવા જોઈએ તથા હાલના સમયમાં ઉંમરલાયક થવા છતા સંબંધ થતા નથી અને લગ્ન થયા બાદ લગ્ન વિચ્છેદ ટુક સમયમાં થવાનું પ્રમાણ પણ વધારે છે.તે ખરેખર સમાજ માટે લાલબત્તી સમાન ચીંતાનો વિષય છે.

આ સમુહલગ્નમાં જે બે ક્ધયાઓએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવેલ તને વિના મુલ્યે લગ્ન કરાવી આપેલ છે.આ તકે લેઉઆ પટેલ જાગૃતિ મંડળના તમામ સભ્યોએ તથા કાર્યકર ભાઈઓએ જહેમત ઉઠાવી આ પ્રસંગને સંપન્ન કરવામાં યોગદાન આપેલ હતું.કારોબારી સભ્ય રાજેશભાઈ લાલજીભાઈ હીરપરાએ આ પ્રસંગના સહભાગી થનાર દરેકનો આભાર વ્યકત કરેલ હતો.અને સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ સુદાણીની યાદીમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj