રાજકોટ તા.18
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આચારસંહિતા ભંગની 25 ફરિયાદો ઉઠી છે. જેના પગલે કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા આજે તાબડતોબ ઉઘડતી કચેરીએ જ તાલુકા મામલતદારો સાથે બેઠક યોજી આચારસંહિતા ભંગની ફરીયાદોનો ફટાફટ નિકાલ કરવા આદેશ આપ્યો હતો.
દરમિયાન આ અંગે જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સી-વિઝીલ એપ્લીકેશનમાં છેલ્લા 24 કલાકમાં આચારસંહિતા ભંગની 25 ફરિયાદો તેઓને મળી છે. તેની સાથે જ અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની મળેલી ફરીયાદોનો આંકડો 95ને આંબી જવા પામેલ છે. તા.16 માર્ચથી 18 એપ્રિલ સુધીમાં તેઓને આચારસંહિતા ભંગની આ 95 ફરીયાદો મળવા પામી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક જ દિવસમાં રેસકોર્સ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં ભાજપના પોસ્ટરોમાં મુદ્રક-પ્રકાશકના નામ નહીં લખાતા આવા પોસ્ટરો-બેનરો તાબડતોબ ઉતારવા માટે કલેકટર દ્વારા આદેશ અપાયો હતો.
તેઓએ આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે તે એજન્સીને બેનરો હટાવી લેવા માટે આદેશ આપ્યો હતો પરંતુ જરૂરી સ્ટાફ ન હોવાના બહાના હેઠળ આવા હોર્ડીંગ હટાવવામાં થોડો વિલંબ થયો હતો. જેના અનુસંધાને આજે કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા આજે તાલુકા મામલતદારો સાથે તાબડતોબ બેઠક યોજી આચારસંહિતા ભંગની ફરીયાદોનો ફટાફટ નિકાલ કરવા માટે આદેશ આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy