રાજકોટ, તા.26
વિંછીયા પંથકની સગર્ભાનું બીમારીથી મોત થયું છે. 25 વર્ષીય વર્ષાબેન ઝાપડીયાના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. તેમણે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, વિંછીયા તાલુકાના અજમેર ગામમાં રહેતા વર્ષાબેન વિજયભાઈ ઝાપડીયા(ઉ.વ.25)ને નવ માસનો ગર્ભ હતો. ગઈકાલે તેમની તબિયત લથડતા પ્રથમ તેમને ચોટીલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ. અહીં સારવાર દરમિયાન જ વર્ષાબેને દમ તોડી દીધો હતો. વર્ષાબેનને રક્તના કણો ઘટી ગયા હોવાથી બીમાર હતા. તેઓ બે ભાઈ, એક બહેનમાં વચેટ હતા. સગર્ભાના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતદેહ વિંછીયા પોલીસે પીએમ અર્થે ખસેડ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy