ધ્રોલ નજીકના મોટા ઈટાળા ગામના કૃષિ પુત્રનું પ્રેરક કાર્ય

ગામના 2.5 એકરમાં આવેલા મુકિતધામ ખાતે 2500 વૃક્ષોનું વાવેતર કરીને નંદનવનમાં ફેરવી નાખ્યુ

Local | Jamnagar | 26 April, 2024 | 12:30 PM
સાંજ સમાચાર

(હસમુખ કંસારા) ધ્રોલ તા.26
 વન અને પર્યાવરણને લગતી સમસ્યાઓ દિન પ્રતિદિન વિપરીત થતી જાય છે. શહેરોમાં સીમેન્ટ કોંક્રીટના જંગલો તેમજ ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીનોમાં ઉદ્યોગોનું સામ્રાજય વધતુ જાય છે.

ત્યારે આ પર્યાવરણને લગતી સમસ્યા માટે વધુ વૃક્ષો દ્વારા વન અને પર્યાવરણની જાળવણી કરવાના શુભ સંકલ્પ સાથે ધ્રોલ નજીકના મોટા ઈટાળા ગામના ખેડુત પુત્ર ગણેશભાઈ આણંદભાઈ ભંડેરી (ઉ.વ.55)એ તેમના આ સંકલ્પને સાકાર કરવા માટે ગામના 2.5 એકરના વ્યાપમાં આવેલા મુકિતધામ ખાતે વૃક્ષો વાવવાની કામગીરી સ્વયં એકલે હાથે કામગીરી શરૂ કરીને આજે ત્રણ વર્ષના સમયગાળામાં તેઓએ આ મુકિતધામમાં 2500 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તે તમામ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરીને આ મુકિતધામને નંદનવનમાં પરિવર્તન કરી નાખેલ છે. અને હજુપણ તેઓની આ પ્રવૃત્તિને ચાલુ રાખેલ છે અને તેઓએ જણાવેલ કે ગ્લોબલ વોર્મીંગનું પાપ ધોવુ હોય તો દરેક પર્યાવરણ પ્રેમીએ ગામડે ગામડે વૃક્ષારોપણની આ પ્રવૃતિ હાથ ધરવા અપીલ કરેલ છે.

 આ મુકિતધામ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા આ વૃક્ષો ઉછેરની કામગીરીથી આ સ્થળ અલૌકિક, કુદરતી વાતાવરણમાં ફેરવાઈ ગયેલ છે. વિશેષ વિગતો માટે મો.નં. 98792 21883નો સંપર્ક કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj