(હસમુખ કંસારા) ધ્રોલ તા.26
વન અને પર્યાવરણને લગતી સમસ્યાઓ દિન પ્રતિદિન વિપરીત થતી જાય છે. શહેરોમાં સીમેન્ટ કોંક્રીટના જંગલો તેમજ ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીનોમાં ઉદ્યોગોનું સામ્રાજય વધતુ જાય છે.
ત્યારે આ પર્યાવરણને લગતી સમસ્યા માટે વધુ વૃક્ષો દ્વારા વન અને પર્યાવરણની જાળવણી કરવાના શુભ સંકલ્પ સાથે ધ્રોલ નજીકના મોટા ઈટાળા ગામના ખેડુત પુત્ર ગણેશભાઈ આણંદભાઈ ભંડેરી (ઉ.વ.55)એ તેમના આ સંકલ્પને સાકાર કરવા માટે ગામના 2.5 એકરના વ્યાપમાં આવેલા મુકિતધામ ખાતે વૃક્ષો વાવવાની કામગીરી સ્વયં એકલે હાથે કામગીરી શરૂ કરીને આજે ત્રણ વર્ષના સમયગાળામાં તેઓએ આ મુકિતધામમાં 2500 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તે તમામ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરીને આ મુકિતધામને નંદનવનમાં પરિવર્તન કરી નાખેલ છે. અને હજુપણ તેઓની આ પ્રવૃત્તિને ચાલુ રાખેલ છે અને તેઓએ જણાવેલ કે ગ્લોબલ વોર્મીંગનું પાપ ધોવુ હોય તો દરેક પર્યાવરણ પ્રેમીએ ગામડે ગામડે વૃક્ષારોપણની આ પ્રવૃતિ હાથ ધરવા અપીલ કરેલ છે.
આ મુકિતધામ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા આ વૃક્ષો ઉછેરની કામગીરીથી આ સ્થળ અલૌકિક, કુદરતી વાતાવરણમાં ફેરવાઈ ગયેલ છે. વિશેષ વિગતો માટે મો.નં. 98792 21883નો સંપર્ક કરવો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy