રાજકોટ, તા. 19
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડની સખત અછત રહેતી હોય છે. ત્યારે જયોતિ સીએનસી દ્વારા 36માં સ્થાપના દિવસ નિમિતે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલ મહારકતદાન કેમ્પમાં ર63 બ્લડ બોટલ્સ રાજકોટ સિવિલને અર્પણ કરવામાં આવેલ છે.
છેલ્લા ઘણા વર્ષોથી જયોતિ સીએનસી દ્વારા વર્ષમાં 3 વખત રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં રકત બોટલ્સ રાજકોટ સિવિલને અર્પણ કરવામાં આવે છે. જો બીજી ઇન્ડસ્ટ્રીઝમાં પણ આવી રીતે રકતદાન કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં રહેતી બ્લડની અછતનું નિરાકરણ આવી શકે છે.
આ કેમ્પમાં જયોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ રાણા કે જેઓએ પણ રકતદાન કરેલ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ માનદ સેવા આપેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy