(હિતેશ ગોસાઈ) જસદણ,તા.13
જસદણમાં આગામી તા.15 ને સોમવારનાં રોજ શહેરના ચિતલિયારોડ પર આવેલ ખોડીયાર માતાજીના મંદિરે 26 મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે આ અંગે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે
આ પ્રસંગ પૂર્વે માતાજીની આરાધના કરવા માટે રવિવારે રાત્રિના ખાસ પરિવારની મહિલાઓ ગરબા રમશે આ અવસરે સોમવારે સવારથી જ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં વસતાં હીરપરા પરિવારના ભાઈ બહેનો અને બાળકો સહિત હજજારો ભાવિકો જસદણ આવશે
આ અંગે તેઓ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઊપસ્થિત રહી શ્રદ્ધા ના ફૂલો ન્યોછાવર કરશે હવન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું હરી હીરપરાએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy