(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27
માળિયા મિયાણાંના કોબા વાંઢ વિસ્તારમાં ખેતરના શેઢે ભેંસ ચરાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને છરીના ઘા મારીને તે બંનેની હત્યા કરી નાખી હતી જે કેસ મોરબીની કોર્ટે ચાલી ગયો હતો જેમાં આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે અને આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેના માટે આગામી તા 30 મી એ દલીલ કરવામાં આવશે.
હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2022 ના 11 માં માહિનામાં માળીયા (મી)ના કોબા વાંઢ વિસ્તારમાં ઇશાભાઈ હબીબભાઇ મોવરના ખેતરમાં તેમનો જ કૌટુંબિક ભત્રીજો આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવર શેઢા ઉપર ભેંસ ચરાવતો હતો ત્યારે ઇશાભાઈના દીકરા હબીબે તેને ત્યાં ભેંસ ચરાવવાની ના કહી હતી જેથી કરીને આરોપીએ ઝઘડો કર્યો હતો અને ત્યારે તેને હબીબને છરીના ઘા ઝીકી દીધા હતા અને ઇશાભાઈના પત્ની ઝરીનાબેન ત્યાં હાજર હોય તેઓ દોડીને આવતા તેને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને બન્નેને સારવારમાં ખસેડાયા હતા અને તે બંનેના મોત નીપજયાં હતા જેથી બેવડી હત્યામાં બનાવ પલટાયો હતો અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા 19 મૌખિક અને 46 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને તકસીરવાન ઠેરવ્યો છે અને આ બનાવને રેરેર ઓફ ધ રેર કેસ ગણી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા આગામી 30 મી તારીખે દલીલ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy