રાજકોટ, તા. 6
શહેરમાં હાર્ટ એટેકના બનાવો અવિરત રહ્યા હોય તેમ વધુ 3 જિંદગીના હૃદય ધબકતા બંધ થયા હતા. રેલનગરમાં 37 વર્ષીય નરેશભાઇ, શાપરમાં 30 વર્ષીય દિલીપ અને પુનિતનગરમાં પ6 વર્ષીય ભાનુબેનનું હાર્ટ એટેકથી મોત નિપજયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતા નરેશભાઇ રમેશભાઇ ભાગવાણી (ઉ.વ.37) નામનો યુવક ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે અચાનક જ બેભાન થઇ ઢળી પડયો હતો. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં શાપર-વેરાવળમાં આવેલ પિતૃ કૃપા હોટલ પાસે રોડ પર એક યુવાન બેભાન હાલતમાં મળ્યો હતો. જેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોેએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી જણાવ્યું હતું કે મૃતક શાપરના બુધ્ધનગરમાં રહેતો દિલીપ મગનભાઇ સનુરા (ઉ.વ.30) હોવાનું બહાર આવ્યું હતું.
મૃતક યુવાન બે દિવસ પહેલા નીકળી ગયો હતો અને ગઇકાલે તે બેભાન હાલતમાં મળ્યો હતો.ત્રીજા બનાવની વિગત મુજબ પુનિતનગર વિસ્તારમાં સતનામ સોસાયટીમાં રહેતા ભાનુબેન ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.પ6) પોતાના ઘરે કપડા ધોઇ રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇ ઢળી પડયા હતા જેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબોેએ મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક 3 બહેન, 1 ભાઇમાં મોટા અને સંતાનમાં બે પુત્ર છે. તેઓના પતિ મિસ્ત્રી કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy