વઢવાણ, તા. 27
વઢવાણ ભોગાવા નદીના કાંઠે સદીઓ પ્રાચીન વાઘેશ્વરી માતાનું મંદિર આવેલુ છે.આ માતાજી સોની સમાજના કુળદેવી હોવાથી સોનાની સુગંધ પ્રસરે છે.વાઘેશ્વરી માતાજી પાટોત્સવ આજે તા. 27 એપ્રિલના રોજ યોજાનાર છે.જેમાં 100 તોલા સોનાના આભુષણોથી માતાજીનો શણગાર થશે જ્યારે રાજ્યભરમાંથી પદયાત્રાળુઓથી વઢવાણની શેરીઓ જયવાઘેશ્વરનીના નાદથી ગુંજી ઉઠશે.
ગુજરાત ભરના સોની સમાજ સહિતના હજારો ભક્તોના કુળદેવી વાઘેશ્વરી માતાજી વઢવાણમાં બીરાજમાન છે. જ્યાં27 એપ્રિલને શનિવારે 43 મો પાટોત્સવ યોજાનાર છે. આ મંદિરને એક કિલો સોનાથી મઢવામાં આવ્યુ છે.વાઘેશ્વરી માતાજી પ્રવેશદ્વાર સિંહને સોનાથી મઢી દેવાયો છે.
જ્યારે 43 મા પાટોત્સવ નિમિતે શુક્રવારે પદયાત્રાળુઓ વઢવાણ આવી પહોંચ્યા હતા. જેમાં અમદાવાદ વિરમગામ માંડલ સહિત રાજ્યભરમાંથી 10 હજારથી વધુ ભક્તો ઉમટી પડનાર છે.જ્યારે વાઘેશ્વરી મંદિરે શનિવારે શિખર ધજાઓ આરોહણ થઇ હતી.અન્ન કુટ આરતી અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે.
આ અંગે પાટોત્સવ સમિતિના સભ્યોએ જણાવ્યુ કે બહારગામથી આવેલા ભક્તોએ જણાવ્યુ કે બહાર ગામથી આવેલા ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા કરાઈ છે. શુક્રવારે રાત્રે આનંદ ભુવન ખાતે રાસ-ગરબા અને શનિવારે રાસ-ગરબાનુ આયોજન કરાયુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy