(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.24
ખાંભાના મોટા સરાકડીયા ગામના ઈસમે ડેડાણનાં વૃઘ્ધ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
ખાંભા તાલુકાના મોટા સરાકડીયા ગામે રહેતા સંજયભાઇ બાલાભાઇ રાઠોડે ડેડાણ ગામે રહેતા અને લક્ષ્મી બોન મીલ નામે વ્યવસાય કરતાં કરશનભાઇ વશરામભાઇ વાળા નામનાં 65 વર્ષિય વૃઘ્ધને વિશ્વાસમાં લઇ તેમની જાણ બહાર ગત તા. 30/4/ર3 થી તા.16/1/ર4 ના બપોરના ર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વૃઘ્ધના બેંક ઓફ ઇન્ડીયા, અમરેલી શાખાના બેંક એકાઉન્ટ નંબર, એટીએમ નંબર અને સીવીવી તથા એટીએમ નો પાસવર્ડ મેળવી તેનો દુરૂપયોગ કરી તેના વડે યુપીઆઈ આઇ.ડી. બનાવી વૃધ્ધનાં બેંક ખાતામાંથી રૂપિયા 8,94,409 મેળવી લઇ વૃધ્ધ વેપારી સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આપઘાત
અમરેલી તાલુકાના વાંકીયા ગામે રહેતા ભાવેશભાઇ પોપટભાઇ સોલંકી નામના 54 વર્ષિય આધેડે ગત તા. ર1ના રોજ રાત્રે 10 વાગ્યે વાંકીયા ગામે કોઇ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy