રાજકોટ, તા.1
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ પ્રખ્યાત શોલે ચિકન વાળા અકબરભાઈ અમીનભાઇ શાહીગરા તા. 9/2/2022 નાં રોજ પોતાના બાળકો સાથે અજમેર ઉર્ષમાંથી પરત આવવા કાર લઈને નીકળેલ તે દરમ્યાન રાજસ્થાનમાં નેશનલ હાઈવે 48 ઉપર પરસાદ ગામ નજીક એક ટેન્કરની પાછળ કાર ઘૂસી ગયેલ હતી જેમાં અકબરભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું.
ગુજ. અકબરભાઈ અકસ્માત પહેલાં જેતપુર - નવાગઢ હાઇવે પર શોલે ચિકનનાં નામથી હોટેલ ચલાવતા હતા. અકબરભાઇનાં પરિવારજનોએ ધોરાજીનાં અકબરભાઈનાં મિત્ર અને ધોરાજી પોઠીયાવાલા જમાતના પ્રમુખનાં પુત્ર તારીકભાઈ પોઠીયાવાલા મારફત રાજકોટની અકસ્માત ક્લેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ ક્લેઇમ કેસ દાખલ કરેલ.
જેથી ગુજરનારનાં વકીલ દ્વારા વિવિધ આવકનાં પુરાવા, ઈન્કમટેક્ષ રીટર્ન તેમજ અકબરભાઈ 37 વર્ષની નાની ઉંમરમાં પત્ની, ત્રણ બાળકો તથા માતા-પિતાનું ભરણપોષણ કરતા હતા તે તમામ આધાર પુરાવા રજૂ રાખેલ હતા. જે નામ. કોર્ટ દ્વારા ધ્યાનમાં લઈને ઉપરોક્ત કેસમાં 90 લાખ રૂપિયાનું વ્યાજ ખર્ચ સહિત વળતર મંજૂર કરેલ હતું. આ કેસમાં ગુજરાનારનાં વારસદારો વતી એડવોકેટ તારીકભાઈ પોઠીયાવાલા તથા એડવોકેટ એમ. એ. સુરૈયા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy