જુનાગઢ તા.2
જુનાગઢ રહેતા એક વેપારીએ પ્લોટના નાણા ચુકવી આપવા છતાં તેના ફઈના દિકરા અને તેના પિતાએ દસ્તાવેજ ન કરી આપી રૂા.18.51 લાખની છેતરપીંડી કરી તેમજ જમીન વેચાઈ નથી એવી જાહેરાત પેપરમાં આપી હતી જેની જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
જુનાગઢ ઝાંઝરડા રોડ ગ્રીન સીટી બ્લોક નં.311/1માં રહેતા ફરીયાદી મનીષ વીરભાન આહુજા (ઉ.35)ના ભાવનગર રહેતા તેમના ફઈના દિકરા ગૌરવ તારાચંદ ચોથાણીએ વર્ષ 2018માં તેના સંયુકત પ્લોટમાંથી તેનો 16.66 ટકા ભાગ વેંચવાની વાત કરી હતી. મનીષભાઈએ રૂા.18.51 લાખમાં પ્લોટ ખરીદ કરવાનું નકકી કયુર્ં હતું અને બાદમાં તા.1/5/2018 સુધીમાં રકમ ચુકવી આપી હતી.
ગૌરવભાઈએ રકમ ચુકવી આપી છે તેવી બાંહેધરી રૂપે ચીઠ્ઠી લખી આપી હતી અને રૂા.100ના સ્ટેમ્પ ઉપર કબ્જો સોંપ્યાનો કરાર કરી આપેલ બાદ ગૌરવભાઈએ દસ્તાવેજ કરી આપ્યો ન હતો ખોટા દિલાસા આપ્યા બાદ આ પ્લોટ વહેંચાણ થયો નથી તેવી પેપરમાં જાહેરાત આપી હતી. જેની સામે મનીષ તારાચંદ અને તારાચંદ સામે છેતરપીંડીની ફરીયાદ કરેલ છે.
આપઘાત
વંથલીના ધંધુસર ગામે વાડીએ રહેતા શખ્સે ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજયું હતું. વંથલીથી 12 કી.મી. દુર ધંધુસર ગામે વાડીએ રહેતા મોહનભાઈ હમીરભાઈ વદર (ઉ.55)એ ગત તા.21-4-2024ની સાંજે 6 કલાકે તેમની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy