જામનગર તા.27
ચેક પરતની ઘટનાને હળવાશથી લઇ ન શકાય તેમ ઠરાવી જામનગરની અદાલતે ચેક પરત ફરવાના એક કેસમાં આરોપી કારખાનેદારને બે વર્ષની જેલ સજા ફટકારતો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસની હકીકત એ પ્રકારે છે કે જામનગર 58 દિ.પ્લોટમાં ચામુંડા કાસ્ટના નામથી ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગ પતિ અશોક જેઠાભાઈ ધુવા એ જામનગરમાં સીન્ડીકેટ સોસાયટી, ગુલાબનગરમાં રહેતા મનસુખભાઈ મારૂ પાસેથી ધંધામાં ભાગીદાર બનાવી તેવુ જણાવી પાંચ લાખ રૂપિયાની રકમ મેળવેલ હતી જે મનસુખભાઈ મારૂએ પરત માંગતા અશોક ધુવાએ ચેક આપેલ હતો જે બાઉન્સ થતા તે અંગેની કોર્ટમાં ફરીયાદ દાખલ થયેલ હતી તે કેસ ચાલતા દરમ્યાન મનસુખભાઈ મારૂનું અવસાન થતા તે કેસમાં તેના પુત્ર દિપેશ મારૂ પક્ષકાર તરીકે જોડાઈ કેસ આગળ ચલાવેલ અને ત્યારબાદ 2022 માં આ કેસમાં સમાધાન થતા કોર્ટ રૂબરૂ સમાધાન રજુ કરી આરોપી અશોક ધુવાએ ત્રણ અલગ અલગ ચેકો આ લેણા પેટે આપેલ હતા, જે ત્રણેય ચેકો ત્યારબાદ અલગ અલગ રીતે બાઉન્સ થયેલા હતા, અને તે અંગેની ફરીયાદો દિપેશ મારૂએ કોર્ટમાં દાખલ કરેલ હતી.
આ ત્રણ કેસો પૈકી પ્રથમ ચેક બાઉન્સ થવા અંગેની ફરીયાદમાં બંને પક્ષકારો ધ્વારા લેખીત તથા મૌખિક પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા અને તેમાં આરોપીએ ટેકનીકલ તકરારો ઉભી કરી ચામુંડા કાસ્ટના નામમાં અને તેના પોતાના નામમાં ફેરફારો હોવાની તકરારો લઈ કાયદા મુજબ યોગ્ય નામથી નોટીસ અપાયેલ ન હોય તેથી ફરીયાદ રદ કરવાની દલીલો કરાયેલ હતી .
જયારે ફરીયાદી તરફે જામનગરના સીની એડવોકેટ અશોકભાઈ નંદાએ દલીલો રજુ કરી ચેકી રીર્ટનના કાયદામાં આપેલ પ્રીઝમ્પશનની જોગવાઈઓ બતાવી ચેકના ધારણ કરતાની તરફેણમાં અનુમાન થવાપાત્ર હોય માત્ર નામમાં સામાન્ય ફેરફારની ટેકનીકલ તકરારો ધ્યાને લઈ શકાય નહી અને અગાઉના કેસમાં કોર્ટ રૂબરૂ થયેલ સમાધાનમાં આપેલ ચેક ફરી બાઉન્સ થયેલ હોય તે સંજોગોમાં આરોપી ધ્વારા ઈરાદા પૂર્વક ફરીયાદીના કાયદેસરના લેણા પેટે અપાયેલ ચેક બાઉન્સ કરાવેલ છે તેવુ રેકર્ડ પરથી પુરવાર થતુ હોય આ અંગેના નામ. ગુજરાત હાઈ. તથા સુપ્રિ. કોર્ટના વિવિધ ચુકાદાઓથી પ્રસ્થાપીત થયેલ સિધ્ધાંતો ધ્યાને લેતા પુરાવાના કાયદા મુજબ હાલનો કેસ સાબિત થતો હોય તેવી દલીલો રજુ કરેલ તે સ્વીકારીને જામનગરના સ્પે. નેગો. કોર્ટના ખાસ જજ વિશાલભાઈ ગઢવીએ મહત્વનો ચુકાદો આપતા ઠરાવ્યુ કે આરોપી સામેનો કેસ ફરીયાદ પક્ષ ધ્વારા યોગ્ય રીતે પુરવાર થયેલ છે .
તેમ ઠરાવી હાલના સમયમાં આ પ્રકારના કેસો દિન-પ્રતિદિન વધી રહેલા છે તે સંજોગોમાં આ પ્રકારના ગુનાને હળવો ગુનો ગણી શકાય નહી અને આરોપીને હળવી સજા કરવી યોગ્ય ગણી શકાય નહી તેમ ઠરાવી જામનગરના ઉદ્યોગપતિ ચામુંડા કાસ્ટ વાળા અશોક જેઠાભાઈ ધુવાને કાયદામાં ઠરાવેલ મહતમ 2 વર્ષની જેલ સજા ફટકારતો અને ચેકની રકમ રૂા.1,25,000/- ની ડબલ રકમ એટલે કે રૂા. 2,50,000/-નો દંડ કરી તે રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો મહત્વનો ચુકાદો તા.24/4/24 ના રોજ જાહેર કરેલ છે, આ ચુકાદાથી ચેક બાઉન્સ કરનાર આરોપીઓ સામે નામ. કોર્ટના સખત વલણથી આવા આરોપીઓ સામે લાલ બતી ધરતો ચુકાદો જામનગર કોર્ટે આપેલ છે. હાલના કેસમાં ફરીયાદી દિપેશ મારૂ તરફે જામનગરના સિનિ. એડવોકેટ શ્રી અશોક નંદા તથા તેની સાથે એડવોકેટ પુનમ પી. પરમાર તથા કુ. કેયુરી માલદે તથા કુ. અશ્વિની પાણખાણીયા હાજર રહેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy