ધોરાજી, તા. 24
ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતિક સમાન લાલશાહ વલીના ઉર્ષનો રંગેચંગે પ્રારંભ થયો છે. આ 4 દિવસીય ઉર્ષમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉર્ષનો આનંદ માણશે.
જેમાં પ્રથમ દિવસે દરગાહ શરીફ ખાતે દરગાહ શરીફના ખાદીમોનું સન્માન બાદ સંદલ શરીફ નીકળેલ હતું. ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી નાગાણીશાહના તકીયા ખાતે પહોંચેલ હતું. ત્યાં નાગાણીશાહ બાવા કમીટી દ્વારા સંદલનું ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. બાદમાં મુખ્ય માર્ગ પર ફરી દરગાહ શરીફ ખાતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હતું.
આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ તકે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઇ નાલબંધ, પૂર્વ નગરપતિ કાસમભાઇ કુરેશી, પૂર્વ પાલીકા ઉપપ્રમુખ મકબુલભાઇ ગરાણા, ધોરાજી લઘુમતી મોરચા પ્રમુખ શબ્બીરભાઇ ગરાણા, લઘુમતી જીલ્લાના ઉપપ્રમુખ બોદુભાઇ ચૌહાણ, અબ્દુલભાઇ નાલબંધ, કાસીમભાઇ ગરાણા સહિતના યુવાનો હાજર રહેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy