રાજકોટ, તા.17
રાજકોટ ખાતેના ગોકુલ ઓપ્ટીકલ પાસેથી માલ ખરીદી યુ-ટર્ન ઈન્ટરનેશનલ પ્રા.લિ. એ બાકી રકમ ન ચૂકવતા થયેલા કેસમાં કોર્ટે 6 ટકા સાથે રકમ ચૂકવવા હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ, રાજકોટ ખાતે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે ચશ્મા (ઓપ્ટીક)નો વેપાર કરતા યુ-ટર્ન ઈન્ટરનેશનલ પ્રા.લિ. (યુ-ટર્ન એન ઓપટીકલ મોલ)એ પોતાની જરૂરીયાત મુજબનો માલ ગોકુલ ઓપ્ટીકલમાંથી ખરીદ કર્યો હતો. દરમિયાન માલની બાકી રહેતી રકમ રૂ.80,912 ત્રણ માસમાં ચુકવવી આપવાની વાત યુ-ટર્નના પાર્ટનરોએ કરી હતી. જોકે વાયદા મુજબ, આ રકમ ન ચુકવતા ગોકુલ ઓપ્ટીકલના પાર્ટનરે ટેલીફોનીક વાતચીતો કરી રકમની માગણી કરતા યુ-ટર્ન દ્વારા ઉડાવ જવાબ મળતા ગોકુલ ઓપ્ટીકલના વિજયભાઈ છગનભાઈ સોરઠીયાએ યુ-ટર્નના ઉમેશભાઈ ચુનીલાલ શેઠ, પેઢીના વહીવટકર્તા, નિશાબેન ઉમેશભાઈ શેઠ, રાજવિરભાઈને એડવોકેટ મારફત નોટીસ પાઠવી હતી. છતાં રકમ ન ચૂકવતા રાજકોટની કોર્ટમાં લેણી રકમ પરત મેળવવા કેસ દાખલ કરેલ. કેસ ચાલવા ઉપર આવતા વાદી ગોકુલ ઓપ્ટીકલના એડવોકેટ દુર્ગેશ ધનકાણીએ જરૂરી દસ્તાવેજો રજૂ કરેલા. લેખિત મૌખિક દલીલો કરેલી. વિવિધ કોર્ટના ચુકાદા ટાંક્યા હતા. જે ધ્યાને લઇ રાજકોટના ન્યાયાધીશ એન.એન.દવેએ માલની રકમ લેણી રકમ કેસ દાખલ થયા તારીખથી 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં વાદી ગોકુલ ઓપ્ટીકલ વતી યુવા એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વિજય સીતાપરા, વિવેક સોજીત્રા, પ્રદીપ બોરીચા, દિવ્યાબા વાળા, તથા જેનીશ સરધારા, સંજયભાઈ કાટોળીયા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy