વેરાવળ,તા.26 આજે વિશ્વ મેલેરિયા દિવસ છે. આ દિવસને અનુલક્ષીને દેશમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તેને અનુલક્ષીને આજે વેરાવળ ચોપાટી થી લઇને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોરહરસિહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્વવ વધુ હોય છે. જેના કારણે બિમારી પણ ફેલાય છે. આ બધા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે મેલેરિયા જાગૃતિ વિશેના બેનર સાથેની આ સાયકલ રેલી વેરાવળ ચોપાટી થી લઇને ટાવર ચોક અને ટાવર ચોક થી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી. આ રેલીમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, પ્રાંત અધિકારી વિનોદ જોષી, ડેપ્યુટી કલેક્ટર-1 ભૂમિકાબેન વાટલીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં. (તસ્વીર: મીલન ઠકરાર વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy