ધોરાજી,તા.23
ભાદાજાળીયા ખાતે અદ્રૈત હોસ્પિટલ દ્વારા નિદાન કેમ્પ યોજાયો હતો. ભાંદા જાળીયા મુકામે ચીકનગુનીયાના કેસ વધુ હોવાનું દિલીપભાઈ ચાવડાના ધ્યાન આવતાની સાથે જ ભાદાજાળીયા મુકામે અદ્રૈત હોસ્પિટલના ડો.સાવન ઘેટીયા તથા હોસ્પિટલની ટીમ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં ફિ નિદાન ફિ સારવાર ફિ દવાનું વિતરણ કરવામાં આવેલ હતું.આમ અદ્રૈત હોસ્પિટલ દ્વારા ધોરાજીના આજુબાજુના ગામોમાં પણ કરવામાં આવી રહ્યું છે. અદ્રૈત હોસ્પિટલ દ્વારા સેવાના સારથી દિલીપભાઈ ચાવડા દ્વારા સેવાના ભાગ રૂપે અદ્રૈત હોસ્પિટલ દ્વારા સેવા યજ્ઞ ચલાવી ચુકયા છે. આમ ભાદાજાળીયા કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધેલ હતો. વિનામૂલ્યે નિદાન, સારવાર દવાઓ આપવામાં આવેલ હતી.આ તકે ડો.સાવર ઘેટીયા, ડો.અનીરૂદ્ધ રાઠોડ, ડો.લલીત વાઢેર, ડો.મીતલબેન ચાવડા સહીત અદ્રૈત હોસ્પિટલનો સ્ટાફગણ હાજર રહેલ હતો. આ ભગીરથ કાર્ય બદલ ભાદાકાળીયાના ગ્રામજનોએ અદ્રૈત હોસ્પિટલની સેવાઓને બીરદાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy