જામનગર તા.23
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંજપર ગામમાં બે સેઢા પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બન્ને વચ્ચે પથ્થરનો પાળો ઉભો કરવા બાબતે તકરાર થઈ હતી. જેમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાય સુધી પહોંચી ગયો હતો. જેને લઇને સામ સામે બે વ્યક્તિના માથા કૂટ્યા હતા. આ અંગેનો મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતા અને નરેન્દ્રસિંહ જાડેજા નામના ખેડૂત યુવાને પોતાના માથા પર લોખંડની ખપારી તેમજ ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે તેમજ હાથમાં ફેક્ચર કરી નાખવા અંગે પાડોશી વાડી માલિક જયસુખ પાલાભાઈ બેલા અને મુકેશ પાલાભાઈ બેલા નામના બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયા અનુસાર ફરિયાદી નરેન્દ્રસિંહ જાડેજા ને માથા ના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી છ ટાંકા લેવા પડ્યા છે, અને હાલ સારવાર ચાલુ છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખેડૂત પોતાની વાડીના શેઢે પથ્થર નો પારો કરતો હતો, જે પાડોશી સેઢા પાડોશી જયસુખભાઈ વગેરેને પસંદ ન હોવાથી તકરાર કરી આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે બંને હુમલાખોર બંધુઓ સામે ગુનો નોંધાયો છે.
ત્યારે સામા પક્ષે જેયસુખભાઈ પાલાભાઈ બેલાએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર પથ્થર વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે નરેન્દ્ર સિંહ જાડેજા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. આ હુમલામાં પોતાને માથાના ભાગે ઈજા થઈ હોવાથી પાંચ ટાંકા લેવા પડ્યા છે. સમગ્ર માલમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રીંજપર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy