જામનગર તા.24
જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે બંધ કર્વાટરમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. કર્વાટરમાં પડેલો કચરો સળગતા ફાયરબ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે બંધ કર્વાટર આવેલા છે. જેમાં મંગળવારે સાંજે 6.30 વાગ્યા આસપાસ અચાનક આગ લાગી હતી. આગના કારણે કર્વાટરની અંદર પડેલો કચરો સળગતા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બંધ કર્વાટરમાં આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય બન્યો છે. આગના કારણે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. અત્રે નોંધનીય છે કે, કર્વાટરો ઘણાં સમયથી બંધ પડયા છે. જેના કારણે આજુબાજુ અસામાજીક પ્રવૃતિ પણ વધી છે. આમ છતાં તંત્ર દ્રારા કોઈ નકકર પગલાં લેવામાં આવતા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy