સુરત, તા.28
તાજેતરમાં સુરતમાં નાનપુરા મક્કાઇપુલ સર્કલ પાસે 400 રુપિયાની લેતીદેતીમાં એક યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી. જો કે જે તે સમયે યુવકના શરીર પર કોઇ ઘાના નિશાન ન હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી છે.
પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતાં મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહારપુરીયા ઉર્ફે ભુરીયા તરીકે થઇ હતી. ભુરીયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફુટપાથ ઉપર રહેતા હતા. બંને વચ્ચે 400 રુપિયા લેવા બાબતે ઝઘડો થતાં રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોરમાર મારી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy