ધોરાજી તા.23
ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ માન પોલી પ્લાસ્ટ ખાતે સમસ્ત ઠેશીયા પરીવાર દ્વારા ભવ્ય સ્નેહમીલન યોજાયું હતું. જેમાં ધોરાજી તતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.
આ સ્નેહમીલન પ્રસંગે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા, સાંસદ રમેશભાઈ ધડુક, યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, સહીતના આગેવાનોનું વિપુલભાઈ ઠેશીયા પરીવાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું.
આ સ્નેહમીલન પ્રસંગે આગેવાનો, ઉદ્યોગપતીઓ, રાજકીય મહાનુભાવો, સમાજશ્રેષ્ઠીઓ, યુવાનો, બહેનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
આ તકે ઠેશીયા પરીવારના મોભી, ભામાશા ખોડલધામના ટ્રસ્ટી વિપુલભાઈ ઠેશીયા જે સેવાકીય પ્રવૃતિમાં હર હંમેશને માટે અગ્રેસર રહે છે તેની સેવાકીય પ્રવૃતિને મનસુખભાઈ માંડવીયા સમાજશ્રેષ્ઠી સહિતના લોકોએ બીરદાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy