(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.19
ઉત્તરપૂર્વીય સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડતો મેળો એટલે માધવપુરનો મેળો. ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ અંતર્ગત શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત સત્કાર કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત રવિવાર તારીખ 21 ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ભવ્ય વિવાહ સત્કાર કાર્યક્રમનું આયોજન સર્કિટ હાઉસ પાછળના પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયું છે.
આ આયોજનમાં રવિવારે સાંજે ચાર વાગ્યે દ્વારકામાં હાથી ગેટ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભા યાત્રાનું સમાપન રૂક્ષ્મણી મંદિર ખાતે થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ બનાવીને આ કાર્યક્રમ સુંદર રીતે યોજાય તે માટે આયોજન કરાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy