પાર્થપોલી વુવેન પ્રા.લી. જૂનાગઢ દ્વારા

સરધારમાં ખેડુતો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

Local | Dhoraji | 08 May, 2024 | 12:40 PM
સાંજ સમાચાર

ધોરાજી તા.8
પાર્થ પોલી વુવેન પ્રા.લી. જુનાગઢ દ્વારા સરધારની ગોકુલ નર્સરી ખાતે ખેડુતો માટે માહિતી સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનો બહોળી સંખ્યામાં ખેડુતોએ લાભ લીધેલ હતો અને માહિતી મેળવી હતી.

સરધાર ખાતે ગોકુલ નર્સરી-નવાગામ અને પાર્થ પોલી વુવેન પ્રા.લી. જુનાગઢ દ્વારા ખેડુતો માટે યોજાયેલી આ માહિતી સેમીનારમાં ગોકુલ નર્સરી દ્વારા રોપા વિશે માર્ગદર્શન અને પાર્થ કંપની દ્વારા મલ્ચીંગ ક્રોપ-કવર અને અન્ય પ્રોડકટની માહિતી આપવામાં આવી હતી. સેમીનારમાં મુખ્ય અતિથિ તરીકે અનીલભાઈ વઘાસીયા (એસટુએસ) તરફથી ખેડુતોને ખેતીમાં આવતી તકલીફો વિશે નીરાકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

અરવિંદફભાઈ પટેલ (નીલકંઠ હાઈટેક નર્સરી હળવદ), નર્સરી તથા રોપા વિશે માહિતી આપવામાં આવેલ હતી. આમ પાર્થ પોલી વુવેન પ્રા.લી. તરફથી નવનીતભાઈ, ઉત્કર્ષભાઈ સીરોયાએ માહિતી આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj