(રીમલ બગડીયા) બોટાદ, તા.1
મહા મંડલેશ્વર નિર્મળાબાનાં આશીર્વાદ અને પૂ.ભયલુ બાપુની પ્રેરણા થી શ્રી વિહળ ઇન્ટર નેશનલ વિદ્યાપી - બોટાદ દ્વારા સમગ્ર જીલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉદઘોષણા એક સફળતાની...! એ શીર્ષક અંતર્ગત ધોરણ 10 અને 12 પછી શું..? તેનાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર પવન દ્વિવેદી દ્વારા વિદ્યાર્થીને ધોરણ 10 અને 12 પછી શું..? તેની ખુબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે શાળા દ્વારા શરબત અને દરેકને નાસ્તો આપવામાં આવ્યો હતો.તેમજ બહારથી આવેલા વક્તાઓનું પાળીયાદના ઠાકરનાં સંભારણા સમી સ્મૃતિ ભેટ આપી ને સ્નામાનીત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા ના ડાયરેક્ટર એસ.પી.ના માર્ગદર્શન હેઠળ થયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.. શાળાના પ્રિન્સિપાલ વી.કે. મહેતાએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy