પાકિસ્તાન જેલમાં કેદ ગીર સોમનાથ જિલ્લા સહિત 148 ભારતીય માછીમારો મુકત થયાનો પત્ર વોટસએપનાં માધ્યમથી વાયરલ થયો

Local | Veraval | 24 April, 2024 | 11:39 AM
પત્રમાં પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટનો છોડી દેવાનાં આદેશનો ઉલ્લેખ: સાવરણા બનાવી ગુજરાન ચલાવતા ઉનાના પરિવારને વ્હાલાસોયા યુવાનની મુકિતની રાહ: પત્રના આધારે આગેવાનોની ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત
સાંજ સમાચાર

(ફારૂક કાઝી) ઉના,તા.24
ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલો છે અહી નાં માછીમારો અહીયા અન્ય કોઈ ઔધોગિક વિકાસ નહીં હોવાથી  લોકો ખેતી અને માછીમારી ઉપર નિર્ભર છે.ઉના તાલુકાના આસપાસના ગામડાના લોકો વર્ષના 7 થી 8 મહિના દરિયામાં માછીમારી કરવા જાય છે. માછીમારોના આ વ્યવસાયમાં ખૂબ મોટું જોખમ રહેલું છે. અવારનવાર માછીમારોને બોટ સાથે દરિયામાંથી પાકિસ્તાન એજન્સીઓના ઉઠાવી જાય છે અને પકડીને પાકીસ્તાન માં કેદ કરી દે છે.આ માછીમારોને છોડાવવામાં સરકારને ત્રણ થી ચાર વર્ષ લાગે છે અને ક્યારેય માછીમારોની લાશ પણ આવે છે. પાકિસ્તાનમાં કેદ ભારતીય માછીમારોની પરિસ્થિતી ખૂબ દયનીય છે.અનેક  રોગથી પીડાતા લોકોની ત્યાં સારવાર પણ યોગ્ય રીતે કરવામાં આવતીનથીજેથીઘણીવારઆવિસ્તારના લોકોની લાશ પણ બે મહિને આવી હોવાના બનાવો બન્યા છે ઉના તાલુકાના ખાણ ગામના ભરત બાંભણિયા નામના યુવક પાકીસ્તાન જેલમાં આશરે છેલ્લા ત્રણ વર્ષથી કેદ છે.

ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો રહે છે. નાળિયેરીના પાનમાંથી સાવરણા કાઢીને દસ દસ રૂપિયામાં વેચાણ કરી ગુજરાન ચલાવે છે.ખાણ ગામના 9લોકોમાછીમારી કરવા જતાં દરીયાઇ સમુદ્ર માંપાકિસતાન મરીન નેશનલ નેવી સીકયુરટી હાથે ઝડપાયા બાદ  પાકીસ્તાન જેલ માં ત્રણ ચાર વર્ષથી જેવાં લાંબા સમયથી કેદ છે

અચાનક પાકિસ્તાન નાં એક અજાણ્યા નંબર થી હોસટેઅપ મેસેજ રાત્રીના ભરતના એક ઉના રહેવાસી મિત્ર પર  આવેલો જે ખોલતા તેમાં ભરત નો લેટર હોવાનું જાણવા મળેલ આ લેટરમાં પાકીસ્તાનમાં કેદ પોતાની સાથેના 148 કેદી કે જેઓ 3 થી 4 વર્ષથી કેદ છે તેઓ છૂટી જવાના હતા અને યાદી પણ બની ગયેલ.પણ હાલ બીજી એક યાદી પાક જેલના કેદીની બની છે જે કેદીઓ એક વર્ષ પહેલાં જ આવેલા છે.એવું ભરત ભાઇ ત્યાં જેલમાં જાણવા મળેલ હોય ભરત ભાઈ એ તેમના મિત્ર  ને આ અંગે રાજકીય આગેવાનો નો સંપર્ક કરવા અને તંત્ર ને રજૂઆત કરવા જણાવેલ છે .

પાક મોબાઈલ નંબર થી આવેલા વોટ્સએપ ઉપર ના લેટર  કોણે મોકલ્યો છે એ વાત ની પુષ્ટિ કરી શકાતી નથી પણ મોબાઇલ નંબર પાકીસ્તાન નો હોય એ ખ્યાલ આવી શકે છે પત્ર ખાણ ગામનાં માછીમાર ભરતભાઈ બાંભણીયા એ લખ્યો હોય અને તેમાં ઉના અને ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી રાજકીય પ્રજાના પ્રતિનિધિઓ અને આગેવાનો નાં નામ નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાન જેલ હવાલે રહેલાં 148 માછીમારો ત્રણ થી ચાર વર્ષ જેવાં લાંબા સમયથી જેલમાં સબડી રહ્યા છે દરેક વખતે લીસ્ટ બનાવી નવાં પકડાતાં માછીમારો છુટી જાય છે પરંતુ જુનાં ને છોડવાં માં આવતાં નથી વધું માં એવું પણ જણાવ્યું છેકે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે એ 148 માછીમારો ને છોડી મુકવા આદેશ કર્યો હોય તે માછીમારો નું લીસ્ટ ગુમ કરી દેવાય છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં નથી .

આમ જૂના પકડાયેલાં માછીમારો અનેક યાતના ભોગવવી પડે છે આગેવાનો દ્વારા ભારત સરકાર નાં વિદેશી મંત્રાલય અને માછીમાર ઉધોગ નાં મંત્રી સુધી આ બાબતે રજુઆત કરી વહેલી તકે માછીમારો ને છોડાવવા વેદનાં વ્યક્ત કરી છે  આ બાબતે ખાણ ગ્રામપંચાયત નાં ઊપ સરપંચ વિજય બી.બાંભણિયા ને પુછતાં જણાવ્યું હતું કે ગામના લોકો માછીમારી કરવા જાય છે તેમના પરિવારો ખેતી તથા મજૂરી કરી ગુજરાન ચલાવે છે  સરકાર સમક્ષ પોતાનાં ગામ નાં માછીમારો ત્રણ ત્રણ વર્ષથી સરકારમાં રજૂઆત કરેલ છે  ગામના કુલ 9 માછીમારો છે જે હાલ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે તેને છોડાવવા ગાંધીનગર નાં  ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી , ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરી ત્યારબાદ પણ કોઈ પાસેથી જવાબ ન મળતા દિલ્હી સુધી આ જેલમાં કેદ માછીમારો અંગે રજૂઆત કરેલી છે. વહેલી તકે ખાણ ગામે સહિત નાં માછીમારો ની યાદીમાં નામ આવે અને વહેલા છૂટી તેમના માદરે વતન પરત લાવવા લાગણી વ્યક્ત કરી હતી 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj