(ભરત ગોહેલ) જામજોધપુર, તા. 16
વિશ્વ હિન્દુ પરિષદની જામજોધપુર ખાતે બેઠક સ્વામી નારાયણ પ્રાથમિક શાળામાં આહિર અગ્રણી હરેશભાઇ બારીયાના અધ્યક્ષ સ્થાને તથા આર.એસ.એસ. પોરબંદર જિલ્લા સહકાર્યવાહક રાહુલભાઇ જોષી વિશ્વ હિન્દુ પરિષદ સહ મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત દેવજીભાઇ મિયાત્રા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવીણસિંહ કંચવા, જામનગર વિભાગ મંત્રી દિપક જાની, દ્વારકા જિલ્લા ઉપાધ્યક્ષ કિશોરસિંહ શકિતસિંહ જાડેજા (ગોરખડી) તાલુકા ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા દ્વારકા જીલ્લા માતૃ શકિત જીલ્લા સંયોજીકા પ્રતિમાબહેન જાની મહિલા સુરક્ષા સમિતિ સદસ્ય હેપીબેન ભાલોડીયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
જેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદનું સંગઠન વ્યાપક બનાવવા માર્ગદર્શન આપેલ તેમજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેનાર કાર્યકર્તાનું અભિવાદન કરાયું હતું. આ બેઠકમાં જામજોધપુર શહેર તથા તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ભાઇ બહેનો ઉપસ્થિત રહેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy