સાવરકુંડલા, તા.8
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર આવેલો છે જ્યાં હાલમાં 63 જેટલી નિરાધાર મનોરોગી બહેનો છે જે વિવિધ પ્રાંતમાંથી આવે છે અને જેને પોલીસ મૂકવા આવે છે તેવી આ નિરાધાર મનોરોગી બહેનો ભક્તિ બાપુની મિશ્રામાં પૂનમ જીવન પ્રાપ્ત કરવાનું પ્રયાસ કરી રહી છે.
ત્યારે આજે 120 મી મનોરોગી બહેન સાજા થઈ સમાજમાં પુન:સ્થાપિત થયા આજથી છ વર્ષ પહેલા તારીખ 24-7-2019 ના રોજ ડાહીબેન બટુકભાઈ ઝાપડા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી માનવ મંદિરમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમનું વજન 42 કિલોને 800 ગ્રામ હતું આજે તારીખ 5-5-24 ના રોજ રાજકોટ થી તેમના બંને ભાભી વિજુબેન જીવનભાઈ અને ભાનુબેન હકાભાઇ માનવ મંદિરેથી તેડી ગયા છે હાલ તેમનું વજન 65 કિલો ને 300 ગ્રામ છે માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ જે હેતુસર આ મનોરોગ્ય આશ્રમ શરૂ કર્યો હતો તે હેતુ આજે સેવકોના સહયોગથી ખૂબ જ સફળ થઈ રહ્યો છે તેનો બાપુએ રાજીપો પણ વ્યક્ત કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy