(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.4
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિ પાર્કમાં રહેતા વસંતભાઈ વીરજીભાઈ કલોલા વાણંદ (57) નામના આધેડે પોતે પોતાના ઘરમાં હતા ત્યારે કોઈ પણ કારણોસર તેણે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
બીમારી સબબ મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં શંભુ હોમડેકોરની સામે બાવળની જાળીમાં શ્રીકાંતરામ ગંગારામ પ્રસાદ રહે. ચાટોપુર જીલ્લો આઝમગઢ હાલ રહે. ઇન્વેન્ટા કારખાનાની ઓરડીમાં મૃતદેહ મળી આવ્યો હતો અને બીમારી સબબ બાવળની જાળીમાં તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળતા મોરબી તાલુકા પોલીસે આગળન કાર્યવાહી હાથ ધરેલ છે. વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy