જુનાગઢ તા.6
ભેંસાણના પરબવાવડી ગામે રહેતા ફરિયાદીના કાકાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ લેતા મોત નીપજાવી ભાગી છુટયાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી અતુલભાઈ ફુલાભાઈ પટેલ (ઉ.45) રે. પરબવાવડીએ નોંધાવેલી ફરિયાદમાં ગત તા.22-4-2024ના તેમના કાકા નાથાભાઈ કેશવભાઈ કાપડીયા પરબવાવડી ગામે આવેલ પોતાની વાડીએ ચાલીને જતા હોય ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પરબવાવડી હડમતીયા ગામ વચ્ચે પાછળથી ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ ભેંસાણ પીએસઆઈ એમ.એમ.કાતરીયાએ હાથ ધરી છે.
કુહાડીથી હુમલો
જુનાગઢ ઝાંઝરડા રોડ વર્ધમાનનગરમાં રહેતા ફરિયાદી જયંતિલાલ ગોરધનભાઈ ભાડજા (ઉ.77)ની જમીન જુનાગઢના યુવનગર ખાતે આવેલ હોય ગત તા.26-4ના જયંતીભાઈ તેની વાડીના સર્વે નં.21ની ખેતીની જમીને આંટો મારવા ગયેલ ત્યારે તેમની ખેતીની જમીનની બાજુમાં આરોપીની ચેતન કારાની જમીન આવેલ હોય જેમાં ધુળનો ઢગલો જયંતીભાઈના ખેતરમાં પડેલ હોય તે હટાવી લેવાનું કહેતા આરોપીઓ ચેતન કારા બકરાણીયા અને તેનો ભાઈ બ્રિજેશ કારા બકરાણીયા બન્નેએ ગાળો ભાંડી કુહાડીનો બુધરાટીનો ઘા છાતીમાં મારી છુટ્ટા પથ્થરોના ઘા માર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy