રાજકોટ, તા. 18
ગઇકાલે પવિત્ર રામનવમીનાં દિવસે રાજકોટ શહેરમાં માંસ-મટનનું વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ખોડીયારનગરમાં બે વ્યકિત દ્વારા માંસ-મટનનું વેંચાણ કરાતું હોવાનું માલુમ પડતા આ બંને વ્યકિત સામે મહાનગરપાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પર્યાવરણ ઇજનેરનાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા 17/4ના રામનવમીના દિવસે માંસમટનની દુકાનો બંધ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ દ્વારા નં. રા.મ.ન.પા./સો. વે.મે. જાનં./186 તા. 08/04/2024 દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. જે અંતર્ગેત માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે 8 વાગ્યે ફોન દ્વારા સુચના મળેલ કે ખોડીયારનગર ખાતે માસમટનની દુકાન વેચાણ થઈ રહ્યું છે.
જે અંગે રાજકોટ મહાનગરપાલિકાને જાણ થતા રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેકટર તથા માલવિયાનગર પોલીસ સ્ટેશનના પો.હેડ. કોન્સ. દીનેશભાઇ બગડા તથા પી.સી.મયુરદાન ગઢવી વિગેરે પોલીસ સ્ટાફ સાથે ખોડીયારનગર મે. રોડ ખાતે રાત્રે 8.30 વાગ્યે ગયેલ અને તપાસ કરતા એક દુકાન ખુલ્લી હોય.
જેમાં માંસમટનનો વેચાણ થતુ હોય જેથી તુરત જ પોલીસે બે રાહદારી પંચોને બોલાવી પંચોની રૂબરૂમાં દુકાનમાં હાજર બન્ને ઇસમોની સમગ્ર વિગત જાણી પંચનામું કરવામાં આવેલ અને તા.17/04/2024ના રોજ રામનવમીના દીવસે માંસમટનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ હોય પોતાના કબ્જાની માંસમટનની વેચવાની દુકાન ખુલ્લી રાખી ગુનો કરેલ હોય અને જાહેરનામાંનો ભંગ કરેલ હોઈ તેઓ સામે આઈ.પી.સી.ક.- 188.114 હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy