જુનાગઢ, તા. 18
કેશોદના ઇન્દીરાનગર કોલેજ રોડ પરના જગદીશભાઇ અરજણભાઇ ચુડાસમા (ઉ.વ.48) ભરણ પોષણના કેસમાં જુનાગઢ જિલ્લા જેલમાં સજા કાપી રહેલ જયાં તેમને જેલની બેરેકમાં છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇ જતા તાત્કાલીક જેલના દવાખાને ખસેડાયેલ ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ સિવિલમાં લઇ જતા ફરજ પરના ડો. ત્રિલોકાનીએ મૃત જાહેર કર્યા હતા.
જુનાગઢ જેલના હવાલદાર રાહુલભાઇ બાબુભાઇ સોલંકીનું નિવેદન લઇ કાર્યવાહી કરી હતી. જેલ અધિક્ષક એમ.એ.વાળાના જણાવ્યા મુજબ કેશોદ કોર્ટે 850 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરતા 29 મે 2023ના જુનાગઢ જેલમાં જગદીશભાઇ સોલંકીને લાવવામાં આવેલ તેમણે 3ર3 દિવસની સજા કાપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy