(સલીમ પતાણી)
કોટડા સાંગાણી, તા.16
કોટડાસાંગાણીના વેરાવળ અને પડાવલા અને ગુંદાસરા ભૂકંપના આંચકા અનુભવાયા તેના વિસ્તારમાં ગાંધીનગર દ્વારા ભૂકંપ સંશોધન ખાતા દ્વારા તે વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવેલ.
વેરાવળ પડવલા ગુંદાસરાની આસપાસ સીમ વિસ્તાર સહિતની જગ્યા તથા આજુબાજુના નદી નાળા સહિતના વિસ્તારમાં સ્થાનિક આગેવાનો સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવેલ જમીનની ઉપરી સર્ફેસ કે નદી નાળા કે બિલ્ડીંગોમાં તેરાડો પડવાનો ધ્યાન આવેલ નથી કે આવા ભૂકંપો નાના પ્રકારના હોય તેનાથી વધારે ડરવાનું રહેતું નથી પરંતુ સાવચેતીના સાવધાની રૂપે આ વિસ્તાર ઝોન નંબર ત્રણમાં આવતું હોય બેની તીવ્રતાથી નાના ભૂકંપના આંચકા અનુભવવાનું હોય સાવચેતીના પગલારૂપે જાગૃતતા રાખવી અને આવા નાના આજકાઓ અમુક સમયે પૂરા થઈ જતા હોય છે.
જેથી સાવચેતીના પગલે રૂપે લોકોમાં જાગરૂપતા રાખવાની સૂચના મેળવેલ છે તા 12-4 ના ભુકંપના આંચકા અનુભવાયા હતા લોકોનો ભય સતાવતો અને આ અંગે સાપર ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા અને લેખિતમાં ભૂકંપના આજકાઓ માટે કલેકટરને રજૂઆત કરવામાં આવેલ હતી તે રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ગાંધીનગરથી ભૂકંપા સંશોધન ની ટીમ સાપર આવીને ભુકમના આંચકાઓની સ્થળ તપાસ કરવામાં આવેલ આજુબાજુના નદી નાળા સહિતના વિસ્તારોમાં સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સ્તર ઉપર નિરીક્ષણના કરેલ અધિકારી ડોક્ટર નિસર્ગ મકવાણા સાયન્ટિસ્ટ દિલીપસિંહ ખુશવાહા વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ રવીરાજસિંહ જાડેજા તલાટી કમ મંત્રી વનરાજસિંહ ગોહિલ તાલુકા પંચાયત સભ્ય ધીરજલાલ કોરાટ પડાવલાના ઉપસરપંચ કિરણસિંહ જાડેજા મામલતદાર ડિઝાસ્ટર આરજી લુણાગરિયા નાયબ મામલતદાર એ.ડી મોરી ડી.પી.ઓ પૂજાબેન વાઘમોરે સ્તર ઉપર તપાસ કરવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy