ધોરાજી,તા.9
ધોરાજીમાં રખડતા ઢોરનો ત્રાસ વધવા લાગેલ છે. જેમાં બે આખલા વચ્ચે લડાઈ થતા લોકોમાં નાસભાગ મચી જવા પામેલ હતી.શહેરના ધાણી કોઠા વિસ્તારમાં જડેશ્વર મંદિર પાસે આ આખલા યુદ્ધ અડધો કલાક ચાલેલ હતું.આ બનાવમાં દાણીબધી મહેનત બાદ આખલા છુટા પડેલ હતાં. બે આખલાની લડાઈમાં લોકોમાં નાસભાગ મચી ગયેલ હતો. રખડતા ઢોર પર નિયત્રણ લાવવા તે તંત્રની ફરજ છે. આ આખલાની લડાઈમાં કોઈને ઈજાઓ થાય તો કોની જવાબદારી આ તકે વિશાળ સંખ્યામાં લોકો એકઠા થઈ ગયેલ હતા.શહેરમાંથી રખડતા ઢોર પકડવા અંગે તત્કાળ પગલા લેવા લોક માંગ ઉઠેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy