ધોરાજી, તા.6
લેઉઆ પટેલ બાબરીયા પરિવાર ધોરાજી તથા નિજાનંદ પરિવાર ધોરાજી દ્વારા વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર ગત તા. 4 /5ને શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમિયાન યોજવામાં આવે હતો.
જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો 100 થી વધુ વિદ્યાર્થીઓ અને બાબરીયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રમુખ ધીરુભાઈ બાબરીયા દ્વારા આવકાર પ્રવચન અને નિજાનંદ પરિવારના પ્રમુખ જે.જે. વિરાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન બાદ મુખ્ય વક્તા દ્વારકાદાસ લલાડીયા દ્વારા વિદ્યાર્થીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું અને વક્તવ્યના અંતે ધોરણ 10 અને 12 પછીના આગળના અભ્યાસક્રમોને લગતા મૂંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હિતેશભાઈ જે.બાબરીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ તકે બાળકો તથા મહેમાનોને કેન્ડી આપીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy