(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.25
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં કેનાલ કે તળાવમાં ડૂબી જવાથી એક કિશોરનું મૃત્યુ થયું છે.આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા ના સરતાનપર ગામનો જયદીપ ભરતભાઇ મેર ઉ.વ.16 કુંઢેલી ધાટરવાળા રોડ પર આવેલ કેનાલ મા ન્હાવા ગયેલ.તેમાં ડૂબી જવાના કારણે મોત નિપજતા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. આ બનાવથી ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.બીજા એક અકસ્માત ના બનાવમાં સરતાનપર ખાતે રહેતા ડાભી ભારતીબેન ઓધાભાઈ (ઉ.વ.27) બાઈક પરથી પડી જતા હેડ ઈંજરી થવાના કારણે વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy