જામનગર તા. 16
જામનગર લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગત શુક્રવારથી ઉમેદવારીપત્રો રજુ કરવાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે પ7 ફોર્મ લઈ જવામાં આવ્યા હતાં જયારે તા.16ના રોજ 30 ફોર્મ લઈ જવાતા કુલ 87 ફોર્મ ઇસ્યુ થયા હતા. જેમાંથી ત્રણ ઉમેદવારીપત્ર રજુ થયા છે.તે કોંગ્રેસનાં ઉમેદવાર હતા.
લોકસભાની સામાન્ય ચૂંટણી માંટે શુક્રવારથી જાહેરનામુ પ્રસિદ્ધ થતા જ ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો હતો. જામનગર બેઠક માટે ગત શુક્રવારે પ્રથમ દિવસે 22 લોકો દ્વારા પ7 ફોર્મ ઉપડ્યા હતાં. જો કે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. એ પછી શનિવાર અને રવિવારની રજા હતી. જ્યારે સોમવારે 23 લોકો દ્વારા 30 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતાં. તેથી કુલ 45 લોકો દ્વારા 87 ઉમેદવારી પત્રક ઇસ્યુ થયા હતા. તેમાંથી ત્રણ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જે કોંગ્રેસનાં ઉમેદવાર જે.પી.મારવિયાના હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy