(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.8
પ્રકૃતિપ્રેમીઓ માટે વનસ્પતિ પરિચય તથા તેની ઉપયોગિતાની જાણકારી માટેની એક શિબિરનું આયોજન મોરબીના ભાણદેવ આશ્રમ (જોધપર નદી) ખાતે કરવામાં આવ્યુ હતુ.
આ શિબિરમાં વૈદરાજ કીરીટસિંહ ઝાલાએ વનસ્પતી પરિચય તથા ઔષધીય ઉપયોગિતા વિષે જાણકારી આપેલ.
આ શિબિરમાં મોરબીનાં નામાંકીત 50 જેટલા પ્રકૃતિપ્રેમીઓ હાજર રહેલા.જેમા ડો.પનારા, મણીભાઈ ગડારા, દેવકરણભાઇ આદ્રોજા, મધુસુદન પાઠક, વૈદ કોરડિયા, ધનશ્યામભાઇ ડાંગર, જીવરાજ બાપા વિગેરે ઉપસ્થિત હતા.ભાણદેવજીએ શરૂઆતમાં શિબિરાર્થીઓને વનસ્પતિના મહત્વ વિષે જાણકારી આપી હતી. શિબિરનું આયોજન પ્રાણજીવન કાલરિયા તથા મધૂરમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યુ હતુ. અનેક વનસ્પતિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy