(જીગ્નેશ ભટ્ટ દ્વારા)
મોરબી તા.19
મોરબી નજીકના લાલપર ગામે ગૌશાળાની બાજુમાં બંસી ડેરીની નજીક રહેતા જૂસબહુસૈન ભૂંગરની બે વર્ષની દીકરી ઐઝાફાતિમા ભુંગર તેના ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી ગયેલા બાળકોને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને મોરબીના શનાળા રોડે ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રાત્રિના 9:30 થી 10:00 વાગ્યાના અરસામાં મૃતક બાળકીના માતા તેઓના ઘરના ફળિયામાં વાસણ ધોઈને ઘરની અંદર ગયા હતા અને તેના પિતા ઘરની બહારના ભાગે બેઠા હતા દરમિયાન કોઇપણ કારણોસર ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં બાળકી પડી ગઈ હતી જેથી કરીને બાળકીનું મોત નીપજયું છે અને આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવતી સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા શોભનાબેન કેતનગીરી ગોસ્વામી (35) નામના મહિલાને તેઓની પાડોશમાં રહેતા મહિલા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેમાં તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા શોભનાબેનના માતા કામે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યાં સુધી તેને ઘરે વાસણ સાફ કર્યા ન હતા જેથી કરીને તે બાબતે માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારે પાડોશમાં રહેતા મહિલા ત્યાં જોતા હતા જેથી તેની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે શોભનાબેનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy