વેરાવળ, તા.25
ગીર સોમનાથ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત ઝૂંબેશ સ્વરૂપે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આજ રોજ વહેલી સવારે વેરાવળ ચોપાટી મેદાન ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના અવસરને ખરા અર્થમાં સાર્થક કરે તે માટે વેરાવળ ચોપાટી મેદાનમાં મહિલા મતદારો અને નાગરીકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને મતદાનના મહત્વ વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તમામે સાથે મળી મતદાન કરવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. અને આગામી તા.7 મેના રોજ જરૂરી આધાર-પૂરાવાઓ સાથે મહિલાઓએ બહોળી સંખ્યામાં પુરૂષોના કદમ સાથે કદમ મિલાવીને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy