જામનગર તા.17
જામનગરના પુનિત નગર વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં પુનીતનગર વિસ્તારમાં જૂની અદાવતનું વેર વાળવા માટે કુખ્યાત દિવલા ડોન નામના નામીચા શખ્સ પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.
માથાભારે દિવલા ડોન પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા દિવલાને ઇજા થવા પામી હતી. પડખાના ભાગે દેવલાને છરીનો ઘા ઝીંકતા તે લોહી લોહાણા હાલતમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો જેની હાલ સારવાર ચાલી રહી છે.
નોંધનીય છે કે તાજેતરમાં દિવલો ડોન ચર્ચામાં આવ્યો હતો. તે સમયે જામનગરના કુખ્યાત દિવલા ડોને બાઈક પર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને અટકાવીને બાઈક ફેરવવાની માંગણી કરી હતી, જેની ના પાડતાં ઉશ્કેરાઈ જઇ બંને યુવાનો પર છરી વડે હુમલો કર્યો હતો. જામનગરના ગાંધીનગર નજીક મોમાઈ નગર શેરી નંબર 4 માં રહેતો અને અભ્યાસ કરતો પૃથ્વીરાજસિંહ યોગેન્દ્ર સિંહ ગોહિલ નામનો 20 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને તેમાં પાછળ તેના મિત્ર કુલદીપ સિંહ જાડેજા ને બેસાડીને શાંતિનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન શાંતિ નગર વિસ્તારમાં જ રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન તેની આડે બાઇક નાખીને ઉભો રહી ગયો હતો, અને તારું બાઈક મને ફેરવવા આપ,તેમ કઈ બાઈકની માંગણી કરી હતી. જેથી પૃથ્વીરાજસિંહ ગોહિલે ના પાડતાં આરોપી દીવલો ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના ની પાસે રહેલી છરી કાઢી સૌ પ્રથમ પૃથ્વીરાજસિંહ પર હુમલો કરી દીધો હતો. જે અંગેની ઘટના તાજી છે ત્યાં જ દેવલા ડોન ઉપર હુમલો કરવામાં આવ્યો અને બહાર આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy