(જીગ્નેશ ભટ્ટ દ્વારા)
મોરબી તા.19
ટંકારા તાલુકાના છતર ગામે રસોઈ બનાવતા સમયે દાઝી જવાથી મહિલાને સારવાર માટે મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રાધીકાબેન ગુડુભાઈ રાજભર (30) નામના મહિલા પોતે પોતાના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે દાઝી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલે તેને સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું .
જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં ટંકારા તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો છ વર્ષનો હતો અને તેને એક દીકરી હતી આ દુર્ઘટનાથી બાળકીએ તેની માતાની છત્રછાયા ગુમાવી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy