જામનગર તા.24
જામનગરના ગોકુલનગરમાં મહિલાએ મોત વ્હાલુ કરી લેતા પરિજનોમાં અરેરાટી મચી છે. પરણીતાએ માત્ર આઠ માસના લગ્નગાળા દરમિયાન ગળાફાંસા દ્વારા રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે. હાલ આ મામલે પોલીસે મોતની નોંધ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને આપઘાતનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.
અકાળે મોતના કિસાની સીટી સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં શેરી નંબર -12 માં રહેતી દયાબેન સંજયભાઈ ચૌહાણ નામની 20 વર્ષની પરિણીતાએ ગઈકાલે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. પરિણીતાએ પોતાના ઘેર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસા ખાઈ આપઘાત નો પ્રયાસ કરી લેતા તાત્કાલિક 108 નો સંપર્ક કરાયો હતો જેને લઈને 108 આપે તેમનું મોત થયું અને જાહેર કર્યું હતું.
આ મામલે મૃતક મહિલાના સંબંધી રમેશભાઈ મનજીભાઈ ચૌહાણએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.વી.દવે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને વૃદ્ધ ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવતીના માત્ર આઠ માસ પહેલા જ લગ્ન થયા હતા, અને પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હોવાથી પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy