જુનાગઢ તા.24
વિસાવદરમાં જીલ્લા ભાજપ પ્રમુખના વિવાદીત ટીપ્પણી કરી હતી. જેના કારણે સમાજમાં વૈમનસ્ય ફેલાય એવી સ્થિતિ સર્જાઈ છે એમ કહીને આ મામલે જુનાગઢ લોકસભા બેઠકના લાગ પાર્ટીના ઉમેદવારે ચૂંટણીપંચને રજુઆત કરી જીલ્લા ભાજપના પ્રમુખ કીરીટ પટેલ સામે આચારસંહિતા ભંગ અંગેની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આ પહેલા પરસોતમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે ત્યાં ફરી જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખ કીરીટ પટેલે રાજા મહારાજાઓ અને તેની પટરાણી અંગે લુલી લંગડી બોબડીના પેટે જન્મેલ પણ રાજા થઈ જાય છે તેવા બકવાટ નિવેદનથી ઉહાપોહ સર્જાયો છે. તેની માફી માગવી પડી છે.
બીજી તરફ જુનાગઢ લોકસભા બેઠકના લોગ પાર્ટીના ઉમેદવારે ફરીયાદ ઉઠાવી છે કે આવા નિવેદનથી જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતિને અસર થાય છે, આથી આવા નિવેદન બદલ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ સામે આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે રાજયના મુખ્ય ચૂંટણી કમિશનર અને સ્થાનિક ચુંટણી અધિકારીને ફરીયાદ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy