જામનગર તા.19
જામનગર-ખંભાળીયા હાઈવે પર નાઘેડી ગામના પાટીયા પાસે સામેથી આવતા વાહનની લાઈટમાં અંજાઈ જતાં બાઈક પરનો કાબુ ગુમાવતા રોડ પર પટકાતા પાછળ બેસેલા યુવાનનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
શહેરના બેડીના બેડેશ્વર ઈદ મસ્જીદ રોડ સંજરી પાન પાસે રહેતા આદિલ દાઉદભાઈ લંઘા (ઉ.વ.19) નામના યુવાન અને સાહેદ સાહીલ જુશબભાઈ કુંગડા નામના બન્ને યુવાનો આદિલના ભાઈનું મોટર સાયકલ લઈને ગત તા.17ના રાતના ખંભાળીયા હાઈવે ઉપર જતા હતાં. સાહીલ કુંગડા બાઈક ચલાવતો હોય અને સામેથી કોઈ વાહન આવતું હોય અને તેની લાઈટમાં અંજાઈ જતાં તેમને બાઈક પરથી કાબુ ગુમાવતા બન્ને યુવાનો રોડ ઉપર પટકાતા આદિલ લંઘાને માથમાં તેમજ કમર, પગમાં ગંભીર ઈજા પહોંચતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ટુંકી સારવાર દરમ્યાન આદિલનું મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મૃતકના ભાઈ જહાગીર દાઉદભાઈ લંઘાએ પંચકોશી બી ડિવિઝનમાં બાઈક ચલાવનાર સાહીલ કુંગડા સામે ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ. એલ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy