(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.9
હળવદમાં આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા ભૌમિક અલ્પેશભાઈ પટેલ (23) નામના યુવાને હળવદ માર્કેટયાર્ડ સામેથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી પસાર થઈ રહેલ ટ્રેન આડે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરજન સંદીપભાઈ પ્રવીણભાઈ રાછડીયા જાતે પટેલ (37) રહે. આનંદ પાર્ક હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના કે.એન. બાવળીયા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે
વૃદ્ધાનું મોત
મોરબીના રામકૃષ્ણનગર શેરી નં-5 માં રહેતા પદમાબેન રામજીભાઈ રાઠોડ (60) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy